BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ

ગુરુહરિ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્યરત છે, જે શ્રી સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી સાથે સંલગ્ન છે. અહીં વિદ્યાર્થીઓ સંસ્કૃત માધ્યમ દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનની સાથે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરે વિષયોમાં ઊંડાણ પ્રાપ્ત કરી સ્વામિનારાણ વેદાન્ત વિષયમાં B.A. અને M.A.ની ડીગ્રી પ્રાપ્ત કરે છે. આ અધ્યયનમાં વિદ્યાર્થીઓની ધગશ, તેઓને મળતું સુંદર વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન તેમજ ગુરુહરિના આશીર્વાદરૂપી ત્રિવેણી સંગમથી પ્રત્યેક વર્ષે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ઉચ્ચ ક્રમાંકો સાથે ઉત્તીર્ણ થાય છે.

ગત વર્ષે (વર્ષ 2021-22 દરમિયાન) જે જે વિદ્યાર્થીઓએ શાસ્ત્રી તથા આચાર્ય કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો તેઓનો પદવીદાન સમારોહ તારીખ 20/02/2023, સોમવારના રોજ શિક્ષણ ક્ષેત્રના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય આચાર્ય શ્રી દેવવ્રતની ઓનલાઇન ઉપસ્થિતિની સાથે શિક્ષણમંત્રી માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયા, રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્હીના કુલપતિશ્રી શ્રીનિવાસ વરખેડીજી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. લલિતકુમાર પટેલ તેમજ અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટ ક્રમાંકો પ્રાપ્ત કરનારને સન્માનવામાં આવ્યા હતા. આ ક્રમમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ વિદ્યાશાખાઓમાં ચાલતા તમામ વિષયોમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો; જેમાં શાસ્ત્રી કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જયદીપભાઈ માંડલિયા સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા તથા ધ્રુવભાઈ પટેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રજતચંદ્રક વિજેતા બન્યા હતા. તેવી જ રીતે આચાર્ય કક્ષામાં તરુણભાઈ ઢોલાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો તથા તેજસભાઈ કોરિયાએ દ્વિતીય ક્રમાંક મેળવી રજતચંદ્રક પ્રાપ્ત કર્યો. આમ, આ યુવાનોએ સમગ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન મેળવી ગુરુહરિની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ માટે સૌને અભિનંદન.

આ સાથે, BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા શ્રી કૃષ્ણ ગજેન્દ્ર પંડાજીને આ સમારોહમાં વિદ્યાવારિધિ(Ph.D) ની ઉપાધિ પ્રાપ્ત થઈ. તેઓએ પણ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક શોધમહાનિબંધ લખીને ગુરુહરિને પ્રસન્ન કર્યા છે, તે બદલ તેઓને પણ અભિનંદન.

सत्संगदीक्षा जो किताब है उसके बारे में जब मैं पढ रहा था तो मैंने दो पेरामिटर से उसको जाँच किया है। एक तो श्रुति प्रामाणिकता, वैदिकता। और दूसरा है इस समय में इसका कितना प्रासंगिकता है। ये दोनों पेरामिटर्स के साथ जब हम सत्संगदीक्षा को जोडेंगे तो हमें लगता है सत्संगदीक्षा अत्यंत प्रासंगिक है, श्रुतिगर्भित है, अत्यंत वैदिक है और शास्त्र संमत है।

Gallery

Menu